Dahod: મુખ્ય પ્રાથમિક શાળા, જાલત ખાતે જિલ્લા કલેકટરશ્રી યોગેશ નિરગુડેના વરદ હસ્તે વિદ્યાર્થીનીઓને કપડાં, પુસ્તક, ચેવડો અને ખજૂરનું વિતરણ કરવામાં આવ્યું. દાહોદ જિલ્લામાં વર્ષ ૨૦૧૬ થી સતત સરકારી બાળવાટિકાથી લઇને ધોરણ ૧૨ સુધીની દીકરીઓને દિવાળી પર્વ નિમિત્તે મુંબઈના દાતા દ્વારા વિના મુલ્યે કપડાંનું કરાતું વિતરણ જીવનમાં બદલાવ લાવવા શિક્ષણની જરૂર છે, શિક્ષણ એ જ આપણી સાચી મૂડી છે - કલેકટરશ્રી યોગેશ નિરગુડે દાહોદ : ભારતીય સંસ્કૃતિમાં દાનનું આગવું મહત્વ સ્વીકારાયું છે. યુગો પછી પણ કર્ણ અને દાનવીર ભામાશાઓની કથાઓ ગવાય છે. લોભ,લાલચ અને ભૌતિક સુખોની લાલસાથી ગ્રસિત વર્તમાન સમાજમાં પણ સમાજના છેવાડાના ગરીબ-વંચિત લોકોની ચિંતા કરીને તેમના સુખ-દુઃખમાં ભાગીદાર થવાના શુભ આશય સાથે કર્મ કરતા અનેક દાનવીર દાતાઓની દિલેરીના કારણે ધરતી પર પુણ્યનો પ્રગટ ભાવ દેખાઈ રહ્યો છે. મુંબઈ સ્થિત મુરબ્બી શ્રી સવજીભાઈ બેરા અને શ્રી પ્રેમજીભાઈ ચૌધરી (પ્રિયા ક્રીએશન - ગારમેન્ટ એસોસિઅન)દર વર્ષે દિવાળીના શુભ દિવસોમાં દાહોદ જિલ્લાની આદિવાસી દીકરીઓ માટે નિ:સ...
Khergam News : "દિવાળી પર ખેરગામ પોલીસનો અનોખો સંદેશ: ગરીબ બાળકોને ખુશીઓની ભેટ" ખેરગામ પીએસઆઇ ગામીત અને પોલીસ સ્ટાફ દ્વારા આ દિવાળીના પર્વે ગરીબ બાળકો માટે ખૂબ જ સરસ અને સંવેદનશીલ પ્રયાસ કરવામાં આવ્યો. તેઓ બાળકોને ફૂટવેરની દુકાનમાં લઈ ગયા અને તેમણે પોતાને પસંદ હોય તેવા બુટ-ચપ્પલ પસંદ કર્યા. બાળકોના ચહેરા પર દેખાતા આનંદને જોતા, આ એક ખૂબ જ હ્રદયસ્પર્શી ક્ષણ હતી. View this post on Instagram A post shared by @khergam_news_updates આ ઉપરાંત, બાળકોએ દિવાળીના પર્વ માટે ફટાકડા પસંદ કરી શક્યા, જેનાથી તેમના ચહેરા પર ખુશી અને ઉત્સાહ જોવા મળ્યો. આ જ નહીં, પરંતુ ખેરગામ પોલીસે ગરીબ વિધવા મહિલાઓ અને વૃદ્ધ દંપતીને મીઠાઈ આપીને તેમનો પણ ઉત્સવ ઉજવવા માટે પ્રોત્સાહિત કર્યા. આ આદરણીય પ્રયાસને કારણે ખેરગામમાં પોલીસ સ્ટાફનો આ અભિગમ સામાજિક જવાબદારી અને માનવતાના ઉદાહરણ તરીકે લોકોમાં લોકપ્રિય બન્યો.
ચીખલી તાલુકાના શ્રી જ્ઞાન કિરણ ધોડિયા સમાજ ભવન, સુરખાઇ ખાતે તા.8,9,10 નવેમ્બર 2024 દરમ્યાન ટ્રાઈબલ ટ્રેડ ફેરનું આયોજન. આ કાયૅકમને સિસ્ટમેટીક અને પદ્ધતિસર આયોજન થકી આપણે આગણે સૌ પ્રથમવાર આયોજન કરવામા આવેલ છે જેમા ભાગ લેવા રજીસ્ટ્રેશન કરવુ ખુબ જરૂરી છે. 1. આદિવાસી સમાજના નવયુવાનોને ધંઘા-રોજગાર માટે તાલીમબદઘ અને સેમિનાર થકી પેકટીકલ , જ્ઞાન થકી આપને આકર્ષિત કરવામા આવશે. 2 આ કાયૅકમમા 50000લોકો મુલાકાત લેનાર છે ભારત સરકારના કેન્દ્રીય રોજગાર કેન્દ્ર દ્વારા નોધણી કરવામા આવશે 3. હાલ સુરતમા આભારત સરકારના કેન્દ્રીય રોજગાર ક્ષેત્રમાં તાલીમ લઈ રહેલા વિધાથીર્ઓને તાલીમ પુણૅ થયા પછી સરકારના સાહસ એકમોમા નોકરી માટે ગેરંટી આપી ભરતી કરવામા આવે છે 4. આપણા નજીકમા આવેલા સચીન વાપી તેમજ બીલીમોરા અને હજીરા જેવા વિસ્તારોમાંથી આવેલ ઇન્ડસ્ટ્રીઝ વિસ્તારોમાં હજારો નવયુવાનો કોઈપણ જાતના સિક્યોરિટી વગર નોકરી કરી રહ્યા છે તેમા તાલીમ સાથે પોતાનામા રહેલ હુન્નર થકી આગળ નોકરી સિક્યોરિટી સાથે કરી શકાય. 5. આપણા સમાજમાં નવયુવાનોને યોગ્ય દિશા અને તાલીમ...
Comments
Post a Comment