શિક્ષણ ક્ષેત્રે નવો અવિરત પ્રવાહ: નવસારી જિલ્લાની શ્રીમતી કીર્તિબહેન પટેલની આંતરરાષ્ટ્રીય સન્માનયાત્રા

શિક્ષણ ક્ષેત્રે નવો અવિરત પ્રવાહ: નવસારી જિલ્લાની શ્રીમતી કીર્તિબહેન પટેલની આંતરરાષ્ટ્રીય સન્માનયાત્રા શિક્ષણ એ માત્ર પાઠ્યપુસ્તકોની ભેટ નથી, પરંતુ વિદ્યાર્થીઓની સૃજનશીલતા, વિચારશક્તિ અને કુશળતાને ઉન્નત કરવાની એક અનોખી પ્રક્રિયા છે. ગુજરાતમાં અનેક શિક્ષકો શિક્ષણની નૈતિકતા અને નવું દ્રષ્ટિકોણ અપનાવી રહ્યા છે, તેમા એક સુંદર ઉદાહરણ છે શ્રીમતી કીર્તિબહેન ઓજસકુમાર પટેલ. ICC IG 5 આંતરરાષ્ટ્રીય કોન્ફરન્સ – ગુજરાતનું ગૌરવ IIMA ઇન્સ્ટિટ્યૂટ, અમદાવાદમાં 30 જાન્યુઆરી 2025 ના રોજ યોજાયેલ ICC IG 5 ઇન્ટરનેશનલ કોન્ફરન્સ શિક્ષણ અને નવીનતાને એકસાથે લાવતી મહત્ત્વપૂર્ણ ઘટના છે. દર પાંચ વર્ષે યોજાતી આ કોન્ફરન્સ માં દેશ-વિદેશના 250 જેટલા પ્રતિનિધિઓ ભાગ લે છે. આ વર્ષે, સમગ્ર ગુજરાતમાંથી પ્રજ્ઞા વર્ગમાં આગવી શૈલીથી કાર્યરત 12 પ્રતિભાશાળી શિક્ષકો ને પસંદ કરવામાં આવ્યા, જેમાં નવસારી જિલ્લાના બુનિયાદી મિશ્રશાળા વાઘરેચની ઉપશિક્ષિકા શ્રીમતી કીર્તિબહેન પટેલનો સમાવેશ થયો. નવતર શિક્ષણ પદ્ધતિઓ માટે વિશેષ ઓળખ શ્રીમતી કીર્તિબહેન પટેલ તેમની અનોખી શિક્ષણ પદ્ધતિઓ માટે જાણીતા છે. સ્વરચિત બાળગીતો અને વિવિધ રમતો દ્વારા ...